08/03/2023
દેશ ભરમાં હોળીનો ત્યોહાર મનાવી રહયાં હોય ત્યારે..
આદિવાસીઓ સમાજમાં મુખ્ય તેહવાર તરીકે હોળી ને મનાવવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર
ડેડીયાપાડા તાલુકાનાં બોગજ - કોલીવાડા ગામમાં હોળીનાં પાવન પર્વે હુનહાર લોકોપ્રિય આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પોતાનાં ગામમાં ઘેરૈયાનો વેશ ધારણ કરીને લોકોને આસચરીય ચકીત કર્યા અને લોકોના માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતાં.
આદિવાસી સમાજમાં હોળી ઘૈરેયા બનવા પેહેલા પાલણી પાડવામાં આવે છે. ઘૈરેયા બનતાં પહેલાં માનતાઓ પણ લેવામાં આવતી હોય છે. જેમા અનેક જાતની માનતાઓ દેવી- દેવતાઓને માનીને રાખવામાં આવે છે. જેમાં શ્રીફળ, મિઠાઈ, બલી-બકરાં મરઘાં ચડાવવાની અને માનતાઓ ને પુરી કરવા અનેક લોકો ઘૈરેયા બનતાં હોય છે. હોળીમાં જેમાં એક અઠવાડિયા પહેલાં ખાવાનું-પીવાનું પોતાના ગામથી દુર રહીને કરવામાં આવે છે. ત્યાર બાદ હોળીનાં દિવસે આદિવાસી પરંપરાગત હોળીને સળગાવીને પૂજન થાય ત્યાં બાદ ઘેરૈયા ડોલ નગારા સાથે વાજીંત્રો સાથે અનેરો ઉત્સાહ સાથે આખી રાત નાચ - ગાન કરતાં હોય છે. અને ઘૈરેયા પ દિવસ સુધી નાહ્યા દોહ્યા વગર એક બીજાના ગામમાં જઈને નાચ-ગાન કરવામાં આવે છે. ત્યાર બાદ સ્નાન કરવામાં આવે છે.
ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જાણવા મળ્યું કે ધારાસભ્યતો પછીનો છું પણ આદિવાસી સમાજ પહેલો નાગરિક છું જેથી મારી સંસ્કૃતિ એજ મારી "માં" મારી ઓળખ છે. પછી હું ધારાસભ્ય તરીકેની ઓળખ છે. એટલે હું મારાં સમાજને આદિવાસી ઘૈરેયાના સ્વરૂપમાં જળ- જંગલ જમીન પ્રકૃતિ ને સંસ્કૃતિને જાણવી રાખવાની અને પ્રેરણા આપું છું. આજે પણ આદિવાસી પહેરવેશમાં ઘૈરેયો બન્યો છું અને હજુ પ વર્ષ સુધી આવીજ રિતે ઘૈરેયા બનીશ. અને અમારા આદિવાસી સમાજમાં આવીજ રીતે હર હંમેશ ઉજવણી કરવામાં આવે છે. તેવી માહિતી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્ધારા આપવામાં આવી હતી.
📝 રિપોર્ટર .......................................
ભાવેશ વસાવા ડેડીયાપાડા